હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !


SHARE







વાહ રે આરોગ્ય તંત્ર : મોરબીના જસમતગઢ ગામે નવ માહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોના વેક્સિન મુકાઇ !

મોરબી જિલ્લાની અંદર હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં અનેક વખત લોકોએ વેક્સિનનો ડોઝ લીધા ન હોય છતાં પણ વેક્સિનેશન થઈ ગયું હોવાના મેસેજ આવે છે જેથી લોકો પણ મૂંઝવણમાં મુકાઇ જાય છે કારણ કે તેઓને બીજો ડોઝ મળશે કે કેમ તે પ્રશ્ન ઊભો થાય છે તેવામાં આજથી લગભગ નવ મહિના પહેલાં મૃત્યુ પામેલ મહિલાને કોરોનાની વેક્સિન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી છે જેથી કોરોના વેક્સિનની કામગીરી ઝડપથી અને ખૂબ સારી થાય છે તેવું બતાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મૃત વ્યક્તિઓને પણ વેક્સિનના સર્ટિ ઉશયુ કરવામાં આવી રહ્યા હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે

મોરબી જિલ્લામાં કોરોના સામે રક્ષણ આપતી કોરોના વેક્સિન મૂકવા માટેની કામગીરી સરકાર તરફથી રોજ ડોઝની ફાળવણી કરવામાં આવે તેના આધારે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે અને અગાઉ જે લોકોએ કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં પણ તે લોકોને વેક્સિનેશન થઇ ગયું હોય તે પ્રકારના મેસેજ આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવ્યા છે જેથી કરીને આરોગ્ય વિભાગની કામગીરી સામે એક નહીં પણ અનેક વખત સવાલો ઉઠયા છે અને અગાઉ કેટલાક મૃત્યુ પામેલા વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન મૂકી હોય તેવી માહિતી સામે આવી હતી.

આવી રીતે મોરબી તાલુકાના જસમતગઢ ગામે રહેતા રતિલાલ સાદરીયાના પત્ની હંસાબેન સાદરિયા (ઉંમર ૫૮) કે, જેઓ ગત તા. ૨૬/૪/૨૧ ના રોજ મૃત્યુ પામેલા છે અને તેનો તા. ૬/૫/૨૧ ના રોજ મૃત્યુનો દાખલો પણ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો છે આ મૃતક મહિલાને મોરબીમાં કજારીયા સીરામીક ખાતે આવેલ વેક્સિનેશન સેન્ટરમાંથી તા. ૫/૨/૨૦૨૨ ના રોજ કોરોના વેક્સિનનો બીજો ડોઝ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવ્યો છે તે પ્રકારનો મેસેજ હાલમાં રતિભાઈ સાદરિયાના મોબાઈલ ફોન ઉપર આવ્યો છે જેથી કરીને મોરબી જિલ્લાની અંદર કોરોના વેક્સિનની કામગીરી ખૂબ સારી રીતે ચાલી રહી છે આવું દેખાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા મૃતક વ્યક્તિઓના નામના કોરોના વેક્સિનના સર્ટિ ઇશ્યૂ કરવામાં આવતા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે આ મૃત વ્યક્તિને કઈ રીતે કોરોના વેક્સિન મુકવામાં આવી ?, તે બાબતની તપાસ કરવામાં આવે તો આ રીતે કેટલા લોકોને બોગસ વેક્સિનેશન કરવામાં આવ્યા છે મોરબી જિલ્લામાં તેની સંપૂર્ણ વિગત સામે આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.






Latest News