હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ


SHARE







મોરબીના જાંબુડિયા ગામે ઘરકંકાસથી કંટાળીને યુવાને આપઘાતનો કર્યો પ્રયાસ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા યુવાને પોતાના ઘરમાં ઘરકંકાસથી કંટાળીને બાથરૂમમાં ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેતા કિશનકુમાર ભરતભાઈ માંજુસાએ પોતાના ઘરની અંદર બાથરૂમમાં ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે કિશનકુમારે ઘરકંકાસથી કંટાળીને પોતાના બાથરૂમની અંદર ફિનાઇલ પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી બાઇક લઇને જઇ રહેલા દિનેશભાઈ નારણભાઈ સનારિયા (ઉંમર ૫૨) રહે. પેરીના પેલેસ મોરબી વાળાના બાઈકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ બનાવમાં દિનેશભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી જેતપર રોડ ઉપરથી પસાર થતાં લખનાબેન રાજેશભાઈ પંચાસરા (ઉંમર ૩૮) ને વાહન અકસ્માતમાં ઇજા થતાં તેને મોરબીની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માત

મોરબી શહેરના વિદ્યુતનગરમાંથી ધરનગર બાજુ સાઇકલ પર જઈ રહેલ કૃષ્ણ વિઠ્ઠલભાઈ સનુરા (ઉંમર ૧૭) સાયકલ પરથી નીચે પડી ગયો હતો અને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર સોસાયટીની અંદર રહેતા શારદાબેન ત્રિકુભાઈ સારેસા (૬૦) ને તેના ઘર પાસે થયેલ મારામારીમાં ઇજા થવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આવી જ રીતે મોરબીના બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં મારામારીનો બનાવ થયો હતો જેમાં સામલીબેન વીનભાઈ ભૂરા (૩૮) નામની મહિલાને ઇજા થતાં તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે






Latest News