હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE







મોરબીમાં મણિમંદિર પાસેથી દરગાહનું ધાર્મિક દબાણ દૂર કરવા હેરિટેજ બચાવો સમિતિનું કલેક્ટરને અલ્ટિમેટમ

મોરબી શહેરમાં આવેલ મણિમંદિર પાસે દરગાહનું ધાર્મિક દબાણ કરવામાં આવ્યું છે જે દબાણો તોડી પાડવા માટે અગાઉ મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજારાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી અને અગાઉ હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મણિમંદિર પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ હજુ સુધી આ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું નથી ત્યારે હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના કાજલબેન હિન્દુસ્તાની, કમલભાઈ દવે સહિતના યુવાનો દ્વારા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને ત્યાં ધરણા યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેની સાથોસાથ આગામી તા. ૨૨/૨/૨૦૨૨ સુધીમાં ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે થઇને કોઈ કાર્યવાહી નહી કરવામાં આવે તો હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સહિતના અધિકારીઓની રહેશે તેવી ચીમકી હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિના યુવાનો દ્વારા ઉચ્ચારવામાં આવે છે






Latest News