મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં ઓરડી પાસે આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત

વાંકાનેર તાલુકાની હદમાં રાતાવિરડા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યુવાનનો પાંચ વર્ષનો દીકરો રમતા રમતા ઓરડીની બાજુમાં આવેલ વેસ્ટ પાણીની કુંડીમાં પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ બાળકના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની જાણ વાંકાનેર તરલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવતા રાતાવીરા રોડ ઉપર સ્પીનોરા સિરામિક નામનું કારખાનું આવેલું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા બાપુ જૈના જાતે ઠાકોરનો પાંચ વર્ષનો દીકરો સાહિલ જૈના તેઓની ઓરડીની બાજુના ભાગમાં રમતો હતો ત્યારે રમતા રમતા વેસ્ટ પાણીની કુંડી તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે સાહિલ જૈનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ બાબતે જવાબદારો સામે ગુના નોધાય તો જ આવા ગોજરા બનાવો બનતા અટકસે.






Latest News