હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં


SHARE













મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ જાતે ઘાંચી નામના આધેડ તેમના ઘેર રસોડામાં ચા બનાવતા હતા ત્યારે ગેસ લીકેજ હોય અને દિવાસળી કરતાં આગની જાર લાગી હતી જેમાં મોઢા અને પેટના ભાગે દાઝી ગયેલી હાલતમાં બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ નામના ૫૨ વર્ષીય ઘાંચી આધેડને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતાં બીટ જમાદાર વશરામભાઇ મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાઠે સાયન્સ કોલેજ પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષાડ્રાઇવીંગનું કામ કરતા અજય અશોકભાઇ કુરીયા નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે તેના મિત્ર કનૈયાભાઈના ઘર પાસે રિક્ષા લઈને ઉભો હતો ત્યારે ત્યાં આવેલા કોઇ વ્યક્તિએ 'અહીં કેમ ઊભા છો..?' તેમ કહીને ઝઘડો કર્યા બાદ તેને માર માર્યો હતો તેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અરૂણોદયમિલની સામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતી ભાનુબેન ભરતભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષીય મહિલાએ તા.૭ ના રાત્રીના દસ વાગ્યે આયોઝોમલ નામની દવાની ૧૫ જેટલી ટીકડીઓ એકી સાથે ખાઈ લેતા તેણીને અસર થવાથી ભાનુબેન રાઠોડને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News