મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે


SHARE

















મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે

મોરબી શહેર અને તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આ શાખાની કામગીરીનું વિભાજન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને તા.૧૦ થી પાંચ દિવસ સુધી તમામ કામગીરી બંધ રહેશે.તા.૧૦-૨-૨૨ થી તા.૧૫-૨-૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કર્યો છે તો પણ તે હુકમની અમલવારી કરવામાં આવી ન હતી જેથી ગ્રાહકોને હેરન થતાં હતા દરમ્યાન મોરબી તાલુકામાં કુલ ૧૦૨ અને શહેરની ૩૭ દુકાનોનું કામ અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવે છે અને આ કામગીરી માટે તા ૧૦ થી ૧૫ સુધી ચાલશે જેથી કરીને ત્યાં સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે અને આ કામ થઈ ગયા પછી લોકોના કામ ઝડપથી થશે તેવું અધિકારીએ જણાવ્યુ છે




Latest News