હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે


SHARE







મોરબી શહેર-તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે પાંચ દિવસ કામ બંધ રહેશે

મોરબી શહેર અને તાલુકાની પુરવઠા કચેરી અલગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો તો પણ કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને આ મુદે રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને આ શાખાની કામગીરીનું વિભાજન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને તા.૧૦ થી પાંચ દિવસ સુધી તમામ કામગીરી બંધ રહેશે.તા.૧૦-૨-૨૨ થી તા.૧૫-૨-૨૨ સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા જાગૃત યુવાન મેહુલભાઈ ગાંભવાએ થોડા દિવસો પહેલા જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ મોરબી સિટી અને તાલુકા વિસ્તારોમાં રેશનિંગની દુકાનો આવેલ છે તેને અલગ કરવા માટેનો હુકમ કર્યો છે તો પણ તે હુકમની અમલવારી કરવામાં આવી ન હતી જેથી ગ્રાહકોને હેરન થતાં હતા દરમ્યાન મોરબી તાલુકામાં કુલ ૧૦૨ અને શહેરની ૩૭ દુકાનોનું કામ અલગ કરવાનું કામ શરૂ કરવામાં આવે છે અને આ કામગીરી માટે તા ૧૦ થી ૧૫ સુધી ચાલશે જેથી કરીને ત્યાં સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે અને આ કામ થઈ ગયા પછી લોકોના કામ ઝડપથી થશે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News