મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા


SHARE













મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે ત્યારે સાદગી પૂર્વક ઘડિયા લગ્ન યોજવાનો સંદેશ અગાઉ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને હાલમાં દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરી હતી. અને કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન પાસે ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેઓના જમવા સહિતનો ખર્ચો પણ તેમના દ્વારા આપવામાં આવે છે ત્યારે ઇન્દુલાલ રતિલાલ પઢીયારના દીકરા સિદ્ધાર્થ અને બબન રાવ ઢાલેની દીકરી પ્રીતિના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ, સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, વૉર્ડ-૭ ના કાઉન્સિલર હીનાબેન મહેતાવૉર્ડ-૫ ના કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા




Latest News