મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા


SHARE











મોરબીના માજી ધારાસભ્યના ખર્ચે તેઓના આંગણે ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં કોરોના કાળમાં વધુ ભીડ લગ્નમાં એકત્રિત ન થાય તે માટે ઘડિયા લગન ખૂબ જ આવકારદાયી છે ત્યારે સાદગી પૂર્વક ઘડિયા લગ્ન યોજવાનો સંદેશ અગાઉ મોરબીના પાટીદાર સમાજ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને હાલમાં દરેક સમાજ દ્વારા ઘડિયા લગ્ન લેવામાં આવે છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્યએ આ પ્રવૃત્તિને વેગ આપવા પ્રેરણાદાયક અને ઉત્સાહનરૂપ જાહેરાત કરી હતી. અને કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાન પાસે ઉમા ટાઉનશીપ ખાતે કોઈપણ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ત્યાં ઘડિયા લગન માટે જે કોઈ આવે તેઓના જમવા સહિતનો ખર્ચો પણ તેમના દ્વારા આપવામાં આવે છે ત્યારે ઇન્દુલાલ રતિલાલ પઢીયારના દીકરા સિદ્ધાર્થ અને બબન રાવ ઢાલેની દીકરી પ્રીતિના ઘડિયા લગ્ન લેવામાં આવ્યા હતા જેમાં જૈન વાણિયા જ્ઞાતિના ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ, સ્થાનિકવાસી જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ મહેતા,જૈન સોસીયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, વૉર્ડ-૭ ના કાઉન્સિલર હીનાબેન મહેતાવૉર્ડ-૫ ના કાઉન્સિલર કમલભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા






Latest News