હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી


SHARE







તસ્કરો મેદાનમાં !: મોરબીના શોભેશ્વર રોડે આવેલ વાણીયા સોસાયટીના મકાનમાંથી ૫.૪૨ લાખના મુદામાલની ચોરી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતા યુવાનના ઘરની અંદર તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાં નીચેના રૂમના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરે કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૫.૩૪ લાખ અને ૮૦૦૦ ના દાગીના આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે લઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણિયા સોસાયટીમાં રહેતા મૂળ આદિત્યાણા ગામના રહેવાસી અનિલભાઈ છગનભાઈ ડાકી જાતે કોળી (ઉંમર ૨૩) ના રહેણાંક મકાનની અંદર તા. ૯ ના રોજ રાત્રિના દોઢ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના નવ વાગ્યા સુધીમાં અજાણ્યા તસ્કરોએ ધામા નાખ્યા હતા અને તેના ઘરમાંથી રોકડ તેમજ દાગીનાની ચોરી કરવામાં આવેલ છે હાલમાં અનીલભાઈ ડાકીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ પોતાના ઘરમાં નીચેના ભાગે મકાનને બંધ કરીને ઉપરના મળે સુવા માટે ગયો હતો અને તે સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેના ઘરમાં નીચેના દરવાજનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી લોખંડના કબાટનો લોક તોડીને તેના અંદર રાખવામાં આવેલ ટ્રક ભાડાના ૫.૩૪ લાખ રોકડા અને ચાંદીના છડા ૨૦૦ ગ્રામ જેની કિંમત રૂપિયા ૮૦૦૦ આમ કુલ મળીને ૫.૪૨ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયેલ છે જેથી પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરેલ છે

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફરિયાદ નોંધાવનારા યુવાનના માતા અને પિતા તેઓના વતન આદિત્યાણા માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને યુવાનને તેના પિતાએ કહ્યું હતું કે ટ્રક ભાડાના પાંચ લાખ રૂપિયા ઘરમાં પડ્યા છે અને અન્ય એક ડ્રાઈવર તેને ૩૪ હજાર રૂપિયા ભાડું આપી જવાનો છે જે ૫.૩૪ લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી દેજે જો કે, મોડું થઈ જવાના કારણે તે રકમ તેણે બેંકમાં જમા કરાવવી ન હતી અને ઘરની અંદર જ પડી દરમિયાન ચોરીનો બનાવ બન્યો છે જેથી કરી અને હાલમાં પોલીસે આ યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરે છે જોકે, આ ચોરીની ઘટનાને અંજામ આપવામાં કોઇ જાણભેદુ સંડોવાયેલ હોય તેવી પણ શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે






Latest News