મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા


SHARE







મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમ્યાન પાશેરામાં પૂણી જેટલી કામગીરી સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જોકે, અન્ય વિભાગ દ્વારા ખનીજ ચોરીને રોકવા માટેની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ખનીજ માફિયાઓને મોરબી જિલ્લાની અંદર મુકલું મેદાન મળી જાય છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે

હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર તેમજ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુડિયા ગામે રહેતા બીજલભાઇ ગોવિંદભાઇ ચાવડા વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૬૩વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ગોવિંદભાઈ જેઠાભાઈ વિરડીયા જીજે ૩ એફડબલ્યુ ૧૮૯૭છોટાઉદેપુરના ઇશ્વરભાઇ જયંતીભાઈ રાઠોડ જીજે ૩૬ ટી ૮૧૧૯ તથા થાન તાલુકાનાં વિજડિયા ગામે રહેતો કિશન હકાભાઇ ઝાલા ચાઇન કલે ભરેલ વાહન સાથે અને સુરેશભાઇ દલાભાઈ ડામોર રહે. રાતાવિરડા વાંકાનેર વાળા નંબર પ્લેટ વગરના વાહનમ ખનીજ ભરીને નીકળ્યા હતા જેથી તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં નંબર પ્લેટ વગર ડમ્પર અને ટ્રક મોટી સંખ્યામાં દોડી રહ્યા છે અને તેમાં ખનીજ સહિતના માલ સામનાનું પરિવહન કરવામાં આવતું હોય છે તો પણ તેને રોકવાની તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે






Latest News