માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા


SHARE

















મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમ્યાન પાશેરામાં પૂણી જેટલી કામગીરી સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જોકે, અન્ય વિભાગ દ્વારા ખનીજ ચોરીને રોકવા માટેની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ખનીજ માફિયાઓને મોરબી જિલ્લાની અંદર મુકલું મેદાન મળી જાય છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે

હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર તેમજ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુડિયા ગામે રહેતા બીજલભાઇ ગોવિંદભાઇ ચાવડા વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૬૩વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ગોવિંદભાઈ જેઠાભાઈ વિરડીયા જીજે ૩ એફડબલ્યુ ૧૮૯૭છોટાઉદેપુરના ઇશ્વરભાઇ જયંતીભાઈ રાઠોડ જીજે ૩૬ ટી ૮૧૧૯ તથા થાન તાલુકાનાં વિજડિયા ગામે રહેતો કિશન હકાભાઇ ઝાલા ચાઇન કલે ભરેલ વાહન સાથે અને સુરેશભાઇ દલાભાઈ ડામોર રહે. રાતાવિરડા વાંકાનેર વાળા નંબર પ્લેટ વગરના વાહનમ ખનીજ ભરીને નીકળ્યા હતા જેથી તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં નંબર પ્લેટ વગર ડમ્પર અને ટ્રક મોટી સંખ્યામાં દોડી રહ્યા છે અને તેમાં ખનીજ સહિતના માલ સામનાનું પરિવહન કરવામાં આવતું હોય છે તો પણ તેને રોકવાની તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે




Latest News