મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા


SHARE













મોરબી નજીકથી ગેરકાયદેસર-ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને ખાણ ખનીજની ટીમે જપ્ત કર્યા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી દરમ્યાન પાશેરામાં પૂણી જેટલી કામગીરી સમયાંતરે ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે જોકે, અન્ય વિભાગ દ્વારા ખનીજ ચોરીને રોકવા માટેની કામગીરી કરવાની થતી હોય છે પરંતુ જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ખનીજ માફિયાઓને મોરબી જિલ્લાની અંદર મુકલું મેદાન મળી જાય છે તેવો ઘાટ જોવા મળી રહ્યો છે તેવામાં મોરબીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજ ભરેલા પાંચ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે

હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસ પોલીસની હદમાં આવતા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ગેરકાયદેસર તેમજ ઓવરલોડ ખનીજ ભરીને પસાર થતાં વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે જેની પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે જાંબુડિયા ગામે રહેતા બીજલભાઇ ગોવિંદભાઇ ચાવડા વાહન નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૦૬૩વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા ગોવિંદભાઈ જેઠાભાઈ વિરડીયા જીજે ૩ એફડબલ્યુ ૧૮૯૭છોટાઉદેપુરના ઇશ્વરભાઇ જયંતીભાઈ રાઠોડ જીજે ૩૬ ટી ૮૧૧૯ તથા થાન તાલુકાનાં વિજડિયા ગામે રહેતો કિશન હકાભાઇ ઝાલા ચાઇન કલે ભરેલ વાહન સાથે અને સુરેશભાઇ દલાભાઈ ડામોર રહે. રાતાવિરડા વાંકાનેર વાળા નંબર પ્લેટ વગરના વાહનમ ખનીજ ભરીને નીકળ્યા હતા જેથી તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી પંથકમાં નંબર પ્લેટ વગર ડમ્પર અને ટ્રક મોટી સંખ્યામાં દોડી રહ્યા છે અને તેમાં ખનીજ સહિતના માલ સામનાનું પરિવહન કરવામાં આવતું હોય છે તો પણ તેને રોકવાની તસ્દી લેવામાં આવતી નથી તે હક્કિત છે






Latest News