મોરબીમાં વિકાસની ગતિ વણથંભી રાખવા માટે સતત ચિંતા કરાઇ રહી છેઃ મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ
SHARE
મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ
મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોના જુદાજુદા વિભાગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સૂચના આપી હતી આ તકે ખેતીવાડી, સિંચાઈ, કેનાલ, મહેસુલ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, આરોગ્ય, રેલવે સહિતના પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે જુદીજુદી રજૂઆતો આવી હતી વધુમાં સ્થાનિક આગેવાનો તેમજ સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેષભાઈ જેતપરિયા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, સામાજિક આગેવાન સતિષભાઇ કાનબાર સહિતના આગેવાનોએ પણ મંત્રીની મુલાકાત કરી હતી અને મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલ મૂકવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને આગામી સમયમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા અધિકારીને મંત્રીએ કહ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ચંદુભાઈ હુંબલ, ભાજપ આગેવાન કે.કે. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા









