વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી હળવદ-માળિયા હાઇવે રોડ ઉપર ડબલ સવારી બાઇક આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે પૈકીનાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ


SHARE







મોરબીમાં લોકદરબાર યોજીને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ લોકોના પ્રશ્નો ઉકેવા અધિકારીઓને આપી સૂચનાઓ

મોરબી માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ગુરુવારે મોરબી સર્કિટ હાઉસ ખાતે લોકદરબાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોના જુદાજુદા વિભાગને લગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને સૂચના આપી હતી આ તકે ખેતીવાડી, સિંચાઈ, કેનાલ, મહેસુલ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત, આરોગ્ય, રેલવે સહિતના પ્રશ્નોના નિવારણ તાત્કાલીક અને સમયસર આવે તે માટે જુદીજુદી રજૂઆતો આવી હતી વધુમાં સ્થાનિક આગેવાનો તેમજ સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેષભાઈ જેતપરિયા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, સામાજિક આગેવાન સતિષભાઇ કાનબાર સહિતના આગેવાનોએ પણ મંત્રીની મુલાકાત કરી હતી અને મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક સિગ્નલ મૂકવા માટે રજૂઆત કરી હતી જેથી કરીને આગામી સમયમાં ટ્રાફિક નિયમન કરવા સિગ્નલ મુકી સમસ્યાનો અંત લાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવા અધિકારીને મંત્રીએ કહ્યું હતું આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા સહિત સંબંધીત વિભાગના અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ચંદુભાઈ હુંબલ, ભાજપ આગેવાન કે.કે. પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા






Latest News