હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા જામનગરના યુવાનનું મોત


SHARE













મોરબીના પીપળી પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા જામનગરના યુવાનનું મોત

મોરબીનો જેતપર રોડ જાણે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ છાશવારે વાહન અકસ્માતના બનાવ બને છે જેમાં નિર્દોષ જીંદગીઓ મોતનાં ખપ્પરમાં હોમાઈ રહી છે તેમાં વધુ એક વાહન અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર પીપળી ગામના બસ સ્ટેશન પાસે ટ્રકના ચાલકે બાઇક સવારને હડફેટે લીધો હતો જે બનાવમાં જામનગરના રણજીતપર ગામના યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામના બસ સ્ટેશનની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક લઇને જઇ રહેલા જામનગર જિલ્લાના રણજીતપર ગામના ભરતભાઈ પીઠાભાઈ ગોરીયા નામના ૩૦ વર્ષીય યુવાનના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લીધું હતું જેથી સર્જાયેલ વાહન અકસ્માતમાં ઘવાયેલ ભરતભાઈ પીઠાભાઈ ગોરીયા નામના યુવાનને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.ભરતભાઇને પેટના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાના લીધે તેઓને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ભરતભાઈ ગોરીયા નામના યુવાનનું મોત નિપજયું હતું અને હાલ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે નોંધ કરીને અકસ્માત બનાવ સર્જીને યુવાનનું નોત નિપજાવનાર ટ્રક ચાલક સામે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શકત સનાળા ગામે આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો ચિંતન ભરતભાઈ પરમાર નામનો ૧૮ વર્ષીય યુવાન ખાનપરથી ચાચાપર જતો હતો ત્યારે ખાનપર-ચાચાપર વચ્ચે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત ચિંતન પરમારને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરમાં જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સંગીતાબેન રવિભાઈ વિંજવાડીયા નામની ૨૮ વર્ષીય પરિણીતા પોતાના પતિના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામ પાસે સોલો સિરામિક નજીક તેઓના બાઈકના વ્હીલમાં પથ્થર આવી જતા તેઓનુ બાઇક પણ સ્લીપ થઈ ગયુ હતુ જે બનાવમાં ઇજાઓ થવાથી સંગીતાબેન વિંજવાડીયાને પણ અહીં આયપષ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.






Latest News