ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત


SHARE













હળવદના ઘનશ્યામગઢ ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીકામ કરતાં વડોદરાના આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા ઘનશ્યામ ગઢ ગામે જીતુભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં ખાજરભાઈ પિંગલાભાઈ જામસિંગભાઇ બારીયા જાતે આદિવાસી મૂળ રહે.સેડાલ તા.વાઘોડીયા જી.વડોદરા વાળાએ ગઈકાલ તા.૧૫ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અહીં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને ખાજરભાઇ આદીવાસીને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ બનાવની નોંધ કરીને ખાજરભાઈ આદિવાસીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સોનેટ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત રામનારાયણ રમેશભાઇ વર્મા નામના ૪૮ વર્ષીય મજુર યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે રામનારાયણને તેના નાના ભાઈ દેવસિંગ સાથે મજૂરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો જેમાં નાના ભાઈ દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે લાવવામાં આવ્યો છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલા માળીયા ફાટક નજીક રહેતા કાસમ સલેમાનભાઈ ભટ્ટી નામના ૩૫ વર્ષીય યુવાનને માળીયા ફાટક પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો હિતેશ દિલીપભાઈ માલણીયાત નામનો ૨૦ વર્ષીય યુવાન ઘરેથી કામ ઉપર જતો હતો ત્યારે જેતપર ગામની જાકાસણીયા હાઈસ્કૂલ પાસે રોડ ઉપરના ખાડાના લીધે બાઈકને બ્રેક મારતા તેનું બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી ઇજાગ્રસ્ત હિતેષન સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News