ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ વાત્સલ્ય દિવસ તરીકે વેલેન્ટાઈન ડે ઉજવ્યો 


SHARE













મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ વાત્સલ્ય દિવસ તરીકે વેલેન્ટાઈન ડે ઉજવ્યો 

અહીંની નવયુગ બી.બી.એ.કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તા.૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી વાત્સલ્ય દિવસ તરીકે કરવામાં આવી હતી.જેમાં આજુબાજુના કારખાનામાં કામ કરતા શ્રમિકોના ૨૦ જેટલા બાળકોને એક દિવસના નવયુગ કોલેજના મહેમાન બનાવવામાં આવ્યા હતા તેમજ જ્ઞાન સાથે ગમ્મત કરાવવામાં આવી હતી.દરેક બાળકોએ નવયુગ શૈક્ષણિક સંકુલમાં હીંચકા, લપસણી, દરેક રાઇડમાં બેઠા હતા અને બાળપણનો આનંદ ઉઠાવ્યો હતો તેમજ જ્ઞાન સાથે ગમ્મતના એક પિરિયડનો પણ આનંદ માણ્યો હતો.

બાળકોએ પોતાનું મનપસંદ પૌષ્ટિક આહારનો સ્વાદ માણ્યો હતો તેમજ દરેક બાળકોને નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી હતી.નવયુગ બી.બી.એ. કોલેજ દ્વારા વાત્સલ્ય દિનની ઉજવણી નવયુગ કોલેજના પ્રમુખ પી.ડી કાંજિયા તેમજ મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો.હિરેન મહેતા, પ્રો.ભાવેશ ચોલેરા, પ્રો.અંજનાબેન ભોરણીયા, પ્રો.જાનકીબેન કાલાવડીયા, પ્રો.દિવ્યા, પ્રો.દિવ્યાબેન નાડા, પારુલબેન પટેલ, શ્રદ્ધાબેન મોરડીયા, એડમીન વિભાગમાંથી એડમીન હેડ શક્તિભાઈ જોશી અને સિનિયર ક્લાર્ક સતિષભાઈ ગઢવી તેમજ નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબીમાં વેલેન્ટાઇલ દિવસની અલગ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાની પૂજા તેમજ પ્રકૃતિની પૂજા કરવામાં આવેલ.આ દિવસે ત્રણ વર્ષ પહેલાં બનેલા પુલવામાં બનાવ નિમિતે વાલીમાંથી એકસ આર્મી હતા તેમને આમંત્રણ પાઠવીને તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફમીત્રોએ જહેમત ઉઠાવેલ તેમજ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાએ પ્રેરણા પુરી પાડી હતી.






Latest News