મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું મોરબીની સાર્થક વિદ્યામંદિર-સરસ્વતી શિશુ મંદિર શાળાને મળ્યું સંસ્કૃત સન્માન મોરબી ભારત વિકાસ પરિષદ અને IMA દ્વારા ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાયો માળીયા (મીં)ના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીમાં સ્વ.મધુવન ભગવાનજીભાઈ મકવાણાના સ્મરણાર્થે સ્કૂલ કીટનું વિતરણ: ​​​​​​​મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લાના સજનપર, હડમતીયા, રોટરીગ્રામ, અમરનગર, શક્તિનગર, રવાપર નદી, ભક્તિનગર, ત્રાજપર, ભડિયાદ ગામે શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો


SHARE















મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વરીયાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાના બાતમી મળીસહતી જેથી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને ૧૪ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૩૦૦ ની કિંમતનો દારૂ કબજે કરે છે અને હાલમાં એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વરીયાનગર શેરી નંબર ૬ ની અંદર રહેતા ગોપાલભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ ચાંઉના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને દારૂની ૧૪ બોટલ મળી હતી જેથી પોલીસે ૫૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં ગોપાલભાઈ ઉર્ફે મુન્નો ચાંઉની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે બીજું કાંઈ છે.

 

બીમારીથી કંટાળીને દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ કોળી નામના ૪૮ વર્ષિય આધેડને હરસ-મસાની શારિરીક તકલીફ હોય તેના લીધે તેઓને બીમારીથી કંટાળીને ગઈકાલે દસેક વાગ્યાના અરસામાં શહેરના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા કોરલ સિરામિક નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેમને સારવાર માટે મંગલમ હોસ્પીટલે ખસેડાયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ ઉપરોકક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.હાલ આધેડે બીમારીથી કંટાળીને ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News