મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો


SHARE











મોરબીના સામાકાંઠે રહેણાંક મકાનમાંથી ૧૪ બોટલ વિદેશી શરાબ પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વરીયાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં દારૂ હોવાના બાતમી મળીસહતી જેથી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને ૧૪ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૩૦૦ ની કિંમતનો દારૂ કબજે કરે છે અને હાલમાં એક શખ્સ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વરીયાનગર શેરી નંબર ૬ ની અંદર રહેતા ગોપાલભાઈ ઉર્ફે મુન્નો હીરાભાઈ ચાંઉના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી કુલ મળીને દારૂની ૧૪ બોટલ મળી હતી જેથી પોલીસે ૫૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં ગોપાલભાઈ ઉર્ફે મુન્નો ચાંઉની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે બીજું કાંઈ છે.

 

બીમારીથી કંટાળીને દવા પી લેતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામમાં રહેતા વિનોદભાઈ લક્ષ્મણભાઈ કોળી નામના ૪૮ વર્ષિય આધેડને હરસ-મસાની શારિરીક તકલીફ હોય તેના લીધે તેઓને બીમારીથી કંટાળીને ગઈકાલે દસેક વાગ્યાના અરસામાં શહેરના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલા કોરલ સિરામિક નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેમને સારવાર માટે મંગલમ હોસ્પીટલે ખસેડાયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ચાવડાએ ઉપરોકક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.હાલ આધેડે બીમારીથી કંટાળીને ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News