ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન


SHARE













મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે.ગઈકાલ તા.૨૩-૨ થી શરૂ થયેલ ભાગવત પુરાણ કથા આગામી તા.૧-૩ ને મહાશિવરાત્રી સુધી ચાલશે.કથા દરોજ બપોરે ૨ થી ૫ યોજાશે.જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રોડ ઉપર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રી ભાગવત પુરાણ કથામાં વ્યાસપીઠેથી મહિલા કથાકાર બાળ વિદુષી માયાકુમારી જોશી (ગુરુ ભાવેશ્વરી માતાજી) કથાનું રસપાન કરાવશે.તા.૨૬-૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે નંદ મહોત્સવ, તા.૨૭ ના સાંજે પાંચ વાગ્યે ગિરિરાજ પૂજા, તા.૨૮ ના સાંજે પાંચ વાગ્યે રૂકમણી વિવાહ તેમજ તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે કથા વિરામ લેવાની હોય તે દિવસે શિવરાત્રી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે તે દિવસે કથાનો સમય સવારના આઠથી સાડા અગિયાર સુધીનો રહેશે ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.






Latest News