મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન


SHARE











મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિરે શ્રીમદ ભાગવત પુરાણકથાનું આયોજન

મોરબીના સામાકાંઠે આવેલ અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે.ગઈકાલ તા.૨૩-૨ થી શરૂ થયેલ ભાગવત પુરાણ કથા આગામી તા.૧-૩ ને મહાશિવરાત્રી સુધી ચાલશે.કથા દરોજ બપોરે ૨ થી ૫ યોજાશે.જેનો લાભ લેવા માટે આયોજન સમિતિ દ્વારા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના સામાકાંઠે એલ.ઇ.કોલેજના રોડ ઉપર આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રી ભાગવત પુરાણ કથામાં વ્યાસપીઠેથી મહિલા કથાકાર બાળ વિદુષી માયાકુમારી જોશી (ગુરુ ભાવેશ્વરી માતાજી) કથાનું રસપાન કરાવશે.તા.૨૬-૨ ના રોજ સાંજના પાંચ વાગ્યે નંદ મહોત્સવ, તા.૨૭ ના સાંજે પાંચ વાગ્યે ગિરિરાજ પૂજા, તા.૨૮ ના સાંજે પાંચ વાગ્યે રૂકમણી વિવાહ તેમજ તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે.તા.૧-૩ ને શિવરાત્રીના દિવસે કથા વિરામ લેવાની હોય તે દિવસે શિવરાત્રી નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયેલ છે તે દિવસે કથાનો સમય સવારના આઠથી સાડા અગિયાર સુધીનો રહેશે ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે.






Latest News