માળીયા(મી)ના વિરવિદરકામાં રહેતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત
SHARE
માળીયા(મી)ના વિરવિદરકામાં રહેતા યુવાને ઝેરી દવા પીને કર્યો આપઘાત
માળીયા તાલુકાના વિરવિદરકા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી પોલીસ દ્વારા માળીયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામે રહેતો અશ્વિનભાઈ મનજીભાઈ પરમાર નામનો ૩૦ વર્ષનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી અને ત્યારબાદ આપઘાતના બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મારામારીમાં ઇજા
માળીયા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા સામુબેન મનસુખભાઈ પંચાસરા (ઉંમર ૩૫) પોતાના ગામમાં હતા ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં સામુબેન પંચાસરાને શરીરે નાનીમોટી ઈજા થઈ હતી જેથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.