મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE











જેલમાંથી પેરોલ મળ્યા બાદ જેલમાં હજાર ન થતાં મોરબીના શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ઈસમ વિરુદ્ધ અપહરણ અંગે ફરિયાદ નોંધાવા પામી હતી અને જેમાં તેને હાલ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેને પેરોલ રજા મળી હોય અને પેરોલ મુદત પૂરી થયા બાદ તે જેલ ખાતે હાજર ન થતાં જેલર દ્વારા ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના જેલર જે.જે. મકવાણા દ્વારા હાલમાં મોરબીના શનાળા રોડ જીઆઇડીસી ખાતે રહેતા સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવવામાં આવ્યું હતું કે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે કલમ ૩૬૩,૩૬૬ અને પોકસોની ફરિયાદ નોંધાવા પામી હતી જે ગુનામાં સેરાજઅહેમદ રજાકહુસેન નામના ઈસમને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ૧૫ દિવસ માટે પેરોલ રજા મળી હતી જે ગત તારીખ ૧૦/૧૨/૨૧ ના મુદત પૂરી થતી હોય ત્યાર બાદ તે જેલ ખાતે હાજર થયો ન હતો માટે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સેરાજઅહેમદ રજાકહુસેન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેની તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે.






Latest News