મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર


SHARE











ચાઈનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટી ડંપિંગ ડ્યુટી યથાવત: ભારત સરકાર

મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે તો પણ ચાઈનાથી સિરામીક ટાઇલ્સ આયાત થતી હોય છે તેના ઉપર ભારત સરકારે લાદેલી એન્ટી ડંપિંગ ડ્યુટીની મુદત કેન્દ્ર સરકાર દ્વારા વધારી આપવામાં આવી છે તેના માટે મોરબી સિરામીક એસોશિએશનવડાપ્રધાન અને રાજકોટના સાંસદનો આભાર વ્યક્ત કર્યો છે

મોરબીમાં વિશ્વ કક્ષાનો સિરામીક ઉદ્યોગ આવેલ છે અને અહીથી સિરામિક ટાઇલ્સને એક્સપોર્ટ પણ કરવામાં આવે છે જો કે, સિરામિક પ્રોડક્ટને ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થતું હતું માટે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખીને અગાઉ રજૂઆતો કરેલ હતી જેથી કરીને ભારત સરકારે એન્ટી ડંમ્પીંગ ડ્યુટી લગાવેલ હતી અને તેની સમય મર્યાદા પૂર્ણ થતા મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સરકારમા રજુઆત કરવામાં આવી હતી જેથી ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એન્ટી ડંમ્પીંગ ડ્યુટીની મદૂત વધારવામાં આવેલ છે અને એન્ટી ડંપિંગ ડ્યુટીને યથાવત રાખવામા આવી છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ મોહનભાઇ કુંડારિયાનો મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદભાઇ ભાડજા, કિરીટભાઇ ઓગણજા, માજી પ્રમુખ નિલેષભાઈ જેતપરિયા સહિતનાએ મોરબીના સિરામિક ઉદ્યોગકારો વતી આભાર વ્યક્ત કરેલ છે 






Latest News