મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે


SHARE

















મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા કાલે આઝાદ રેલીનું આયોજન

 મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો રૂટ આઝાદ પાર્ક એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રથી રેલી શરૂ થશે જે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે પૂર્ણ થશે. આ રેલીમાં કાર, બાઇક, સાયકલ લઈને નગરજનો પણ જોડાઈ શકે છે

પ્રતિમાનું અનાવરણ 

 ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને અમુક દેશ વિરોધી એકલદોકલ વ્યક્તિઓએ કામ વારંવાર રોક્યું હતું પણ અંતે સત્યનો વિજય થયો અને પ્રતિમાની સ્થાપના થઇ રહી છે અને આ પ્રતિમાનું અનાવરણ સરદાર બાગની સામે શનાળા રોડ ઉપર ૨૭/૨/ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગે કરવામાં આવશે

 




Latest News