મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા આઝાદ રેલી- સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરાશે


SHARE













મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા કાલે આઝાદ રેલીનું આયોજન

 મોરબીમાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાન દિવસ નિમિત્તે તા.૨૭ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે આઝાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો રૂટ આઝાદ પાર્ક એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્રથી રેલી શરૂ થશે જે રવાપર રોડ, બાપા સીતારામ ચોક, ભગતસિંહ પ્રતિમા બાદ સરદાર બાગની સામે પૂર્ણ થશે. આ રેલીમાં કાર, બાઇક, સાયકલ લઈને નગરજનો પણ જોડાઈ શકે છે

પ્રતિમાનું અનાવરણ 

 ક્રાંતિકારી સેના દ્વારા અંદાજે બે વર્ષથી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મોરબીમાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા અને અમુક દેશ વિરોધી એકલદોકલ વ્યક્તિઓએ કામ વારંવાર રોક્યું હતું પણ અંતે સત્યનો વિજય થયો અને પ્રતિમાની સ્થાપના થઇ રહી છે અને આ પ્રતિમાનું અનાવરણ સરદાર બાગની સામે શનાળા રોડ ઉપર ૨૭/૨/ (રવિવાર) ના રોજ સવારે ૧૧ વાગે કરવામાં આવશે

 




Latest News