માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની કારીયા સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE

















મોરબીની કારીયા સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

 

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાળુભાઇ પરમાર (ઉંમર ૨૨) એ કોઈ કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક ભરતભાઈ પરમારના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી.

મારામારીમાં બેને ઈજા

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સોમનાથ પેટ્રોલ પંપની પાછળના ભાગે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ત્યાં રહેતા રમેશ કમા વાઘેલા (૪૦) અને જગા કમા વાઘેલા (૫૦) નામના બે લોકોને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના બેલા ગામના રહેવાસી રજાકભાઈ કાસમભાઈ કટિયા નામના ૨૬ વર્ષીય યુવાનને તા.૨૭-૨ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં આમરણ અને બેલા વચ્ચે બે રીક્ષાઓ સામસામે અથડાતાં સર્જાયેલ અકસ્માતનાં બનાવમાં ઇજાઓ થતાં રજાકભાઈ કટીયાને સારવારમાં ખસેડાયા હતા.

મહિલા સરોવરમાં

મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકળંગ મંદિરની પાસે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા જમીલાબેન સરદારભાઈ બારીયા નામની ૨૦ વર્ષીય મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડવામાં આવી હતી તેણીનો લગ્નગાળો બે વર્ષનો હોય હાલ તાલુકા પોલીસે નોંધ કરી બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વનાળીયા ગામનો રહેવાસી વિપુલ ઇશ્વરભાઇ ગામી નામનો ૩૭ વર્ષીય યુવાન સાંજના સાતેક વાગ્યે મોરબી આવી રહ્યો હતો ત્યારે નાસા દુકાન પાસે તેના બાઇકને રિક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત વિપુલ ગામીને સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.




Latest News