મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

ટંકારમાં કોલસાની હેરફેરી સમયે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ


SHARE

















ટંકારમાં કોલસાની હેરફેરી સમયે છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ

મોરબી જીલ્લામાં ઓસ્ટ્રેલિયાથી ઈમ્પોર્ટ કરાયેલા કોલસાની હેરફેરી સમયે તેમાથી કોલસો કાઢીને પાણી નાખીને છેતરપિંડી કરવામાં આવતી હતી જે ગુનામાં પોલીસે હાલમાં આ એક આરોપીની ધરપકડ કરેલ છે.

વર્ષ ૨૦૧૯ માં ગાંધીધામના હર્ષકુમાર ભવનકુમાર મોરેએ ટંકારા પોલીસ મથકે ચાર શખ્સોની સામે નામ જોગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અમુક આરોપીઓને ઝડપી લીધા હતા અને આ ગુનામાં હાલમાં એસસીબી પોલીસ સ્ટાફના વિક્રમસિંહ બોરાણા તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ બાતમીને આધારે સાડા ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપી કલ્યાણખાન અકબરખાન પઠાણ (ઉંમર ૩૩) રહે.બસંતી કી ઢાણી ઉદાસીયા, તાલુકો ચોહટન રાજસ્થાન વાળાને મોરબીના અણીયારી ટોલનાકા પાસેથી ઝડપી લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, ગાંધીધામ ખાતે ઓસ્ટ્રેલિયન કોલસો આયાત થાય છે.આ કોલસાને ગાડીમાં ભરીને જુદાજુદા સેંન્ટરોમાં રવાના કરવામાં આવે છે ત્યારે અમુક ટ્રક ડ્રાઇવરો રસ્તામાં ટંકારા નજીક ટ્રકમાંથી કોલસો કાઢી લઇને તેમાં પાણી નાંખીને વજન કરી દેતા હતા અને આમ કરીને છેતરપિંડી આચરવામાં આવતી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વજેપર શેરી નંબર ૧૦ માં રહેતા ખીમજીભાઈ આંબાભાઈ કપુરીયા નામના ૬૮ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી સારવારમાં અત્રેની સદભાવના હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ પંચાસિયા ગામે જુનૈદ ઈસ્માઈલભાઈ સેરશીયા નામનો ૧૪ વર્ષીય સગીર બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યાં રસ્તામાં નિચે પડી જતા ઇજાગ્રસ્ત જુનૈદને સારવારમાં મોરબી લવાયો હતો.જ્યારે મોરબીના રેવા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા વિજયાબેન નવીનભાઈ વડાવીયા નામના ૬૧ વર્ષીય વૃદ્ધા શનાળા-ઘુનડા રોડ ઉપર બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં નીચે પડી જવાથી વિજયાબેન વડાવીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News