ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













 

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંતોષકુમાર ચંદ્રભૂષણ પાંડે (ઉંમર ૪૨) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંતોષકુમાર પાંડેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું ત્યારબાદ કેનાલના પાણીમાં તેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી બીમલભાઈ દુર્લભજીભાઈ સીતાપરા નામના ૩૭ વર્ષીય યુવાને બાલાજી સિમેન્ટ પાઇપમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ થતાં મુળ મધ્યપ્રદેશના રૂમાલ શાંતિલાલભાઈ નામના સાત વર્ષના બાળકને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે માળીયા હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે અજાણી કારની હડફેટે ચડી જતા મૂળ રાજસ્થાનના ટોક વિસ્તારના રહેવાસી ધરમાભાઈ અમરનાથભાઈ બાગરીયા નામના ૨૫ વર્ષીય યુવાનને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News