મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











 

મોરબીના લખધીરપુર રોડે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટિક સિરામિક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંતોષકુમાર ચંદ્રભૂષણ પાંડે (ઉંમર ૪૨) નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંતોષકુમાર પાંડેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું ત્યારબાદ કેનાલના પાણીમાં તેના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર ગામના રહેવાસી બીમલભાઈ દુર્લભજીભાઈ સીતાપરા નામના ૩૭ વર્ષીય યુવાને બાલાજી સિમેન્ટ પાઇપમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ થતાં મુળ મધ્યપ્રદેશના રૂમાલ શાંતિલાલભાઈ નામના સાત વર્ષના બાળકને ઈજા થતાં સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે માળીયા હાઈવે ઉપર રોડ ક્રોસ કરતા સમયે અજાણી કારની હડફેટે ચડી જતા મૂળ રાજસ્થાનના ટોક વિસ્તારના રહેવાસી ધરમાભાઈ અમરનાથભાઈ બાગરીયા નામના ૨૫ વર્ષીય યુવાનને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ બનાવવાની આગળની તપાસ હાથ ધરી છે.






Latest News