મોરબીના ગુંગણ પાસે નદીમાંથી રેતી ભરવા સમયે મારામારી !: ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ
SHARE
હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ
હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમર મહેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા, રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા (સોખડા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન,વિધિ કરી અને રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. અને ત્યારે શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણીના પ્રસંગે આવ્યા હતા અને શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત, હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર ના હોદેદારો સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી