ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ


SHARE













હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમર મહેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા, રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા (સોખડા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન,વિધિ કરી અને રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. અને ત્યારે શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણીના પ્રસંગે આવ્યા હતા અને શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત,  હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર ના હોદેદારો સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News