મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો


SHARE











મોરબીમાં અબોલ જીવોની સેવા થકી યોજાયો ભોલેનાથનો ભંડારો

મોરબીના પર્યાવરણ પરિવારના સભ્ય વિપુલભાઈ કડીવાર અને સાગરભાઈ કડીવાર દ્વારા અબોલ જીવો માટે શિવરાત્રી નિમિતે ભંડારો યોજવામાં આવ્યો હતો.હર જીવમાં શિવ હૈ..તેમ સમજીને મહાશિવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમા શીવલીંગની રંગોળી બનાવીને કીડીયારું પુરવામાં આવ્યુ હતુ. ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને અલગ અલગ ૫૧ જગ્યાઓએ જંગલ વિસ્તાર જેવા જમીનમાં ખાડા ખોદીને તે નાળીયેર ત્યાં દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં પણ મુકાયા હતા જેથી કરીનએ ૫૧ હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આ રીતે સૌ સાથે મળીને કિડીયારૂ પુરીએ કે અન્ય કોઇ જીવ સેવાનું કામ કરીને આપણા સંસ્કૃતિક મુલ્યો જાળવીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી.






Latest News