મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી


SHARE











યુક્રેનથી વાંકાનેર પરત આવેલા વિદ્યાર્થીઓની જિલ્લા ભાજપ પ્રમુખ-વાંકાનેર શહેર પ્રભારીએ મુલાકાત કરી

વાંકાનેરના ત્રણ વિદ્યાર્થી જે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ હતા તેઓ ત્યાંથી હેમખેમ સહી સલામત પરત પોતાના વતન વાંકાનેર આવી ગયા છે ત્યારે તેઓના પરિવારમાં હર્ષની લાગણી જોવા મળેલ છે અને તેમને જણાવ્યુ છે કે, ભારત સરકાર તરફથી તેઓને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને હાલમાં જે વિદ્યાર્થી આવ્યા છે તેમાં અનિરુદ્ધસિંહ દિપકસિંહ ઝાલા (કુંભારપરા), રૂતુરાજસિંહ સંજયસિંહ જાડેજા (ગોકુલનગર) અને દિશાંત બીપીનભાઈ ભલગામડા (કિસાન સોસાયટી) વાંકાનેર વાળાનો સમાવેશ થાય છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને વાંકાનેર શહેર ભાજપ પ્રભારી નિકુંજભાઈ કોટક, તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર મહામંત્રી કે.ડી. ઝાલા, દિપકભાઈ પટેલ, અરજણભાઈ રાતડીયા, હિરેનભાઈ ખીરેયા તે વિદ્યાર્થી અને તેના પરિવારને મળ્યા હતા અને યુક્રેનમાં રહેલ ભારતીયોની સતત ચિંતન કરતી ભારત સરકારનો વિદ્યાર્થીઓ અને તેના પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતી






Latest News