મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી


SHARE













ગુજરાતમાં ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી કરો, પ્રકૃતિક ખેતી અને વૃક્ષા રોપણ કરો: નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે ત્યારે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. અને આઝાદી ક અમ્રુત મહોત્સવને ધ્યાનમાં રાખીને ગામ અને ગામની શાળાના જન્મદિનની ઉજવણી, પ્રકૃતિક ખેતી તેમજ વૃક્ષા રોપણ કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો

આજે નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં લોકોને સંબોધન કર્યું હતું ત્યારે દરેક ગામમાં જે પાણી પાછળ મોટા ખર્ચ થાય છે તેને રોકવા માટે કુદરતી રીતે આવતા પાણીને રોકીને જમીનમાં પાણીના તળ ઊંચા લવાવવા માટે બોરીબંધ બનાવવા માટે કહ્યું હતું અને ખાતર-સિમેન્ટની ખાલી થેલીઓ ભેગી કરી તેમાં માટી ભરીને પાણી રોકવામાં આવે તેમજ એક લાખ ખેત તલાવડી બનાવવામાં આવે તેવું આહ્વાન કર્યું હતું તેમજ ગામમાં ૭૫ ખેડૂતો નક્કી કરીને પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. તો ખેતી, જમીન અને ગામ બચી જશે તેવી લાગણી વ્યક્ત કરી હતી આટલું જ નહીં. નવા ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી વચન માગ્યું હતું અને કહ્યું હું કહું એવા નાના નાના કામ કરશો? દોઢ લાખથી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિ એકસાથે બેસીને ગુજરાતના ભવિષ્યની ચર્ચા કરે એથી મોટી બીજી શું તાકાત હોય શકે. ગામની શાળા અને ગામના જન્મ દિનની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, શાળા શિક્ષકોની નથી શાળા કોઈપણ ગામની પ્રાણશક્તિ છે. હાલમાં આઝાદી અમૃત મહોત્સવ ચાલુ છે ત્યારે ૨૦૨૩ સુધીમાં ૭૫ કાર્યક્રમો ગામમાં કરવાના છે અને ગામ આખું ભેગું થઈને ૭૫ ઝાડ વાવે અને ખેડૂતો પ્રકૃતિક ખેતી કરે તેમજ લોકો વૃક્ષા રોપણ કરે તે વાત ઉપર ભાર મૂક્યો હતો






Latest News