માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત


SHARE

















ટંકારાની વિરપર ગ્રામ પંચાયતે તકરાર નિવારવા કલેક્ટરને કરી મહત્વની રજૂઆત

ટંકારાની વિરપર ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ ગામે આવેલા ખરાબા પૈકીની જમીન લાગુ, બેઠા થાળે કે અન્ય બાબતે આપવાની થતી હોય તો પહેલા ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લેવામાં આવે તેવી રજૂઆત કરેલ છે કેમ કેજમીન ફાળવણી કરવામાં આવ્યા પછી ઘણી વખત ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટેના રસ્તા બંધ થાય છે અને તકરાર ઊભી થાય છે

હાલમાં વિરપર ગ્રામ પંચાયતે કલેક્ટર જે.બી. પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેવિરપર ગામની આસપાસમાં આવેલ સરકારી ખરાબાની જમીનમાંથી કોઈને પણ જુદા-જુદા હેતુ માટે જો સરકારના નિયમો મુજબ જમીન આપવાની થતી હોય તો આ જમીનની ફાળવણી કરવામાં આવે તે પહેલા પંચાયતને અને આજુબાજુમાં ખેતરો આવેલા હોય તે લોકોની સંમતી લેવામાં આવે તે જરૂરી છે કેમ કેખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે રસ્તા બંધ થવાથી તકરાર ઉભી થાય છે. અને આવી તકરાર ઊભી ન થાય તે માટે જમીન ફાળવવામાં આવે ત્યારે પહેલા વિરપર ગ્રામ પંચાયત તથા ખાતેદારોની સંમતિ લઇને આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.




Latest News