માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ ૧૫ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ


SHARE

















હળવદમાં વેપારીએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ ૧૫ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ

(હરેશભાઈ પરમાર) હળવદના શક્તિ ટોકીઝ પાસે ફરસાણની દુકાન ધરાવતા વેપારી ચાર દિવસ પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને મોરબી સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર લઈને હાલમાં વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરોની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

હળવદના શક્તિ ટોકીઝ બસ સ્ટેશન રોડ ઉપર અરિહંત સ્વીટ  નામની દુકાન ધારવતા હિતેશભાઈ પ્રેમચંદભાઈ મકવાણાચાર દિવસ પહેલા પોતાના ઘરે સોનીવાડમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા અને ત્યાં સારવાર લીધા બાદ વેપારીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ૧૫ વ્યાજખોરોની સામે આશરે દોઢ કરોડની રકમ મામલે ફરિયાદ કરી છે અને વ્યાજખોરો અવાર નવાર વેપારીને જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપી હેરાન કરતાં હતા જેથી કંટાળીને વેપારીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારે હળવદ પોલીસે ૧૫ શખ્સો સામે ફરિયાદ લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

હળવદ પોલીસ સ્ટેશનમાં વેપારીએ કોના આપ્યા હતા નામ ?

જે વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેને સારવાર લીધા બાદ હળવદ પોલીસ સ્ટેશનમ જે ૧૫ શ્ખ્સોના નામ આપ્યા હતા તેમાં ધાંગધ્રાના લખધીરભાઈ રબારી, હળવદના વિજયભાઈ રબારી, ટીકર હિરેનભાઈ પટેલ, હળવદના વસંતભાઈ મોરી,  હળવદના તેજસભાઈ દવે, લીલાપરના જયરામભાઈ દલવાડી, હળવદના પ્રભુભાઈ રબારી, મિયાણીના  જીલાભાઈ ભરવાડ, હળવદના હષૅદભાઈ રબારી,  હળવદના રવિભાઈ રબારી, હળવદ મુકેશભાઈ ભરવાડ, હળવદ  મનોજભાઈ રબારી, ‌માલણીયાદના લક્ષ્મણભાઈ ભરવાડ, માનસરના ભરતસિંહ ગોહિલ, હળવદના  કિરણભાઈ બ્રાહ્મણ સહિતના ૧૫ આરોપીના નામનો સમાવેશ થાય છે




Latest News