મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત


SHARE













મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ સાથે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા મહિલાએ એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટની અંદર હાલમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી જનકભાઈ તમતાના પત્ની કલ્પનાબેન (ઉંમર ૩૩) એ ભગવતી એપાર્ટમેન્ટની અંદર બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણીયાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મૃતક કલ્પનાબેનને તેના પતિ જનકભાઈ સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને મૃતક પરિણીતાને બે સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News