ટંકારાના સજનપરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારે પોલીસ રક્ષણ માંગ્યું
મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે
SHARE
મોરબી જિલ્લામાં 31 માર્ચ સુધી પીજીવીસીએલ કચેરીઓમાં સવારના 9 થી રાત્રે 9 સુધી બિલ ભરી શકાશે
મોરબી જીલ્લામાં પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ગઈકાલથી કેશ બારી સવારના 9 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની વ્યવસ્થા કરેલ છે.
હાલમાં 31 માર્ચ સુધી મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા ખાતે આપેલ દરેક પેટા વિભાગીય કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આલી છે અને પીજીવીસીએલના ગ્રાહકોને તેમના બાકી વીજ બીલના પૈસા ત્યાં ભરી શકશે જો વીજ બિલના નાણાં સમયસર ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ જોડાણ કપાઈ જશે તેવુ વિજ કંપનીના અધિકારીએ જણાવ્યુ છે