મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ


SHARE







મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા આજે શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા પાસેથી શરૂ કરવામાં આવેલ આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના કુલ મળીને ૮૦૦ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર શહીદોને યાદ કરીને રેલીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓની વેશભૂષામાં સાથે જોડાયા હતા અને શહીદોની દેશ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ કારવાઈ હતી આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મ, ૫૦ વિદ્યાર્થીઓ નેવી યુનિફોર્મ અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મ સાથે પરેડ કરી હતી અને આ રેલીમાં મોરબીના એક્સ આર્મી ઓફિસર, ક્રાંતિકારી સેના, યુવા આર્મી ગ્રૂપ  સહિતના જોડાયા હતા






Latest News