મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!
મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ
SHARE
મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા આજે શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા પાસેથી શરૂ કરવામાં આવેલ આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના કુલ મળીને ૮૦૦ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર શહીદોને યાદ કરીને રેલીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓની વેશભૂષામાં સાથે જોડાયા હતા અને શહીદોની દેશ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ કારવાઈ હતી આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મ, ૫૦ વિદ્યાર્થીઓ નેવી યુનિફોર્મ અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મ સાથે પરેડ કરી હતી અને આ રેલીમાં મોરબીના એક્સ આર્મી ઓફિસર, ક્રાંતિકારી સેના, યુવા આર્મી ગ્રૂપ સહિતના જોડાયા હતા









