મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ


SHARE











મોરબીમાં નીલકંઠ વિદ્યાલય દ્વારા શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા આજે શાહિદ દિવસ નિમિતે શહીદ સ્મૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા પાસેથી શરૂ કરવામાં આવેલ આ રેલી શહેરના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ રેલીમાં નીલકંઠ વિદ્યાલયના ધો.૫ થી ૧૧ ના કુલ મળીને ૮૦૦ કરતાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ભારત દેશની આઝાદીમાં મહામૂલ્ય ફાળો આપનાર શહીદોને યાદ કરીને રેલીમાં ૭૫ જેટલા વિદ્યાર્થીઓ ક્રાંતિકારીઓની વેશભૂષામાં સાથે જોડાયા હતા અને શહીદોની દેશ પ્રત્યેની નિષ્ઠા, ત્યાગ તેમજ તેમણે આપેલ અમૂલ્ય કુરબાનીની મોરબીના લોકોને સ્મૃતિ કારવાઈ હતી આ રેલીમાં ૨૦૦ વિદ્યાર્થીઓ આર્મી યુનિફોર્મ, ૫૦ વિદ્યાર્થીઓ નેવી યુનિફોર્મ અને ૫૦ વિદ્યાર્થીઓ એર ફોર્સના યુનિફોર્મ સાથે પરેડ કરી હતી અને આ રેલીમાં મોરબીના એક્સ આર્મી ઓફિસર, ક્રાંતિકારી સેના, યુવા આર્મી ગ્રૂપ  સહિતના જોડાયા હતા






Latest News