ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!


SHARE













મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં ટેનની લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી હોવા છતાં પણ પાલિકા દ્વારા તેનો કોઈ યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવતો નથી જેથી લોકો હેરાન થઇ રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે

લોકોને પીવાનું તેમજ ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તે જોવાની જવાબદારી પાલિકાની હોય છે જો કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તે અંગેની પાલિકામાં રજુઆતો કરવામાં આવી છે તો પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી દ્વારા લોકોના આરોગ્યને નુકશાન કરે તેવા પ્રશ્નમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી લોકોના નાછૂટકે આરોગ્યને નુકશાન કરે તેવા દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પછી ડેમમાં નવા પાણીની આવક થાય ત્યાર બાદ થોડા સમય સુધી ડહોળું પાણી મોરબીમાં આવે છે જો કે, હાલમાં ચોમાસું ન હોવા છતાં પણ લોકોને પાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ડહોળું અને ગટરની ગંદી વાસ આવતું પાણી આવે છે જેથી આ પાણી પીવાના પાણી તરીકે ઉપયોગ કરવાના વાત તો દૂર છે પરંતુ ઘર વપરાશના પાણી તરીકે પણ લોકો ઉપયોગ કરી શકતા નથી માટે દૂષિત પાણીનું વિતરણ બંધ થાય અને લોકોને પીવા અને ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

ઉલેખનીય છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભરાઈ જાય એટ્લે દૂષિત પાણી આવે છે તે પાલિકાના સતાધીશોને ખબર જ છે તો પણ દૂષિત પાણી ન આવે તે માટે સમયસર ગટરની સફાઈ કરાવવામાં આવતી નથી જેના લીધે લોકોને હેરાન થવું પડે છે અને આ સોસાયટીના લોકોના કહેવા મુજબ મોરબી નજીકના મહાકાય મચ્છુ-૨ ડેમની અંદર હાલમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ પાલિકાના અધિકારી પદાધિકારીએ અને સ્ટાફની અણ આવડતના લીધે દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

જો આવી જ રીતે દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવશે તો લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિક લોકોમાં દહેશત જોવા મળી રહી છે અને આટલું જ નહિ મોરબીના માજી ચીફ ઓફિસર દ્વારા અરૂણોદયનગરમાં અગાઉ પાલિકામાં તે જયારે વહીવટદાર હતા ત્યારે લોકદરબાર ભરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકોએ દૂષિત પાણીનો વર્ષો જુનોન પ્રશ્ન ઉકેલવા માટે કહ્યું હતું અને ત્યારે રાબેતા મુજબ આશ્વાસન આપવામાં આવ્યું હતું જો કે, આજ દિવસ સુધીમાં કામ કરવામાં આવ્યું નથી તે હક્કિત છે






Latest News