ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી


SHARE













માઠા સમાચાર: મોરબીના ઉદ્યોગમાં ગેસ અને કોલસા બાદ ઇલેક્ટ્રીકસિટીની કટોકટી

મોરબીના ઉદ્યોગકારોની માઠી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે, એક પછી એક માઠા સમાચારો સામે આવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ગેસ અને કોલસાની તો રામાયણ ચાલી જ રહી છે તેવામાં આગામી સમયમાં વીજળી એટ્લે કે ઇલેક્ટ્રીકસિટીની કટોકટી સામે આવી રહી છે જેથી કરીને કારખાનાના કારખાનેદારોને કેવી રીતે ચાલુ રાખવા તે પ્રશ્ન ઉભો થયો છે

હાલમાં પી.જી.વી.સી.એલ.નાં અધિક મુખ્ય ઈજનેર વી.એલ.ડોબરીયાએ સોશ્યલ મીડિયામાં મેસેજ મૂકીને મોરબીના ઉદ્યોગકારો સહિતના વીજ કંપનીના ગ્રાહકોને વીજ સપ્લાઈની કટોકટીના એંધાણના સંકેત આપેલ છે અને તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને લીધે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદ અંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજ ખાધ ઉભી થવા પામેલ છે જેને ધ્યાને રાખીને પી.જી.વી.સી.એલ. મોરબીના ગ્રાહકોને વીજ જોડાણમાં જે કરારિત વીજ ભાર છે તેની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા માટે અને બિન જરૂરી વીજ વપરાશ એટલે કે વિજ વેડફાટ ટાળવા માટે અપીલ કરવામાં આવી છે અને વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. અને જો કોઈ ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યુ છે






Latest News