મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં


SHARE









મોરબી : સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી ગયેલ રાજકોટનો યુવાન સારવારમાં

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકાથી આગળ આવેલ સામખયારી નજીક ટ્રેનની હડફેટે ચડી જતા સુરેશભાઇ તખુભાઈ ચારોલીયા (ઉમર ૩૫) રહે.આણંદપર (નવાગામ) દેવનગરના ઢોરો જીલ્લો રાજકોટ વાળાને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે પ્રાથમિક તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ કરીને બનાવ સંદર્ભે સામખયારી પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાઠે ભડીયાદ ગામે રહેતો વિશાલ નવઘણભાઈ કગથરા નામનો ૨૪ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યારે લાલપર પાસે કેનાલ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તે રીતે જ મોરબીની તીર્થંક પેપરમીલ લીલાપર રોડ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં શ્રવણકુમાર શિવચોપાન નામના ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા ચેતન મોમૈયાભાઈ ડાવેરા નામના ૩૯ વર્ષીય યુવાનને સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલી લક્ષ્મી સોસાયટીમાં રહેતા ઉદય છત્રપતિરાવ ઇધરા જાતે ચૌધરી નામના ૩૬ વર્ષીય યુવાનને આંદરણા અને ચરાડવાની વચ્ચે આવેલ ભૈરવનાથ હોટલ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના ગ્રીનચોક વિસ્તારની ભવાની શેરીમાં રહેતા પાયલબેન જયપ્રકાશભાઈ બારેજીયા નામના ૪૧ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પી લેતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેમજ કાલીકા પ્લોટ નર્મદા હોલ નજીક રહેતા મકબુલ મોહસીનભાઇ સેડાત નામનો ૧૧ વર્ષીય બાળક પગપાળા જતો હતો તે સમયે કોઇ અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતાં મકબુલને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News