ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી હરિયાણાથી પકડાયો: સગીરા પણ મળી આવી


SHARE













વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી હરિયાણાથી પકડાયો: સગીરા પણ મળી આવી

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ એન્જો સીરામીક કારખાનામાં આજથી પાંચ એક મહીના પહેલા સગીરવયની બાળાનુ અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં આરોપીને પકડીને ભોગ બનનારને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે ભોગ બનનારને શોધી કાઢીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટિમ સગીર વયની બાળાઓને શોધી કાઢવામાં માટે કામ કરી રહી છે તેવામાં દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે વાંકાનેર તાલુકાના કલમ -૩૬૩, ૩૬૬ મુજબના અપહરણના ગુનાનો આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને સરતાનપર રોડ એન્જો સીરામીક કારખાનામાંથી ભગાડી અપહરણ કરી ગયો હતો અને આરોપી તથા ભોગબનનાર બન્ને હરિયાણા રાજયના રોહતક જીલ્લાના સાંપલા બૈરી રોડ ઉપર મજુરી કામ કરતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં પીએસઆઇ એ.એ.જાડેજા સાથે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ પહોચી હતી અને હરીયાણા ખાતેથી આરોપી અલોકકુમાર કાલીસિંહ ભુમીહાર (ઉ.વ.૨૨) રહે. આઝમગઢ નાગવા તાલુકો જગદીશપુરા ખાતેથી પકડી પડેલ છે અને ભોગ બનનાર પણ મળી આવતા તેને હસ્તગત કરીને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીપીઆઇને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News