વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી હરિયાણાથી પકડાયો: સગીરા પણ મળી આવી
મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ
SHARE
મોરબી એબીવીપી દ્વારા બોર્ડના પરિક્ષાર્થીઓ માટે કંટ્રોલરૂમ શરૂ
મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને બોર્ડના વિધાર્થીઓને કોઈ પણ પ્રશ્ન હોય તો તેના ઉપર વાત કરી શકે છે
સોમવાર તા ૨૮ થી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનાના ઉકેલ માટે સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર એબીવીપી દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ, કોઈ સ્થળથી અજાણ હોય, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરી શકાય છે જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ છે ત્યારે વિધ્યાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે અને પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યા છે. ત્યારે મોરબી એબીવીપી દ્વારા ધો. ૧૦ અને ૧૨ ના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવે છે અને વિશ્વરાજસિંહ જાડેજા (8306914014), વિનેશભાઈ રાઠોડ (9409670549), શિવાંગભાઈ નાનક (9925565508) અને કર્મદીપસિંહ ઝાલા (9662389123)નો પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે