મોરબીના મહેન્દ્રનગરમાં મારના ડરથી અગ્નિસ્નાન કરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત
SHARE
મોરબીના મહેન્દ્રનગરમાં મારના ડરથી અગ્નિસ્નાન કરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબીના મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે રહેતા યુવાન સાથે તે જ ગામમાં રહેતા એક શખ્સે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી ડરી ગયેલા યુવાને કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી.દાઝી ગયેલા યુવાનને મોરબી બાદ રાજકોટ ખસેડાતા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતુ.
પ્રાપ્ત માબીતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે ઉગમણા જાપા પાસે શીતળા માતાજી વિસ્તારમાં રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયા જાતે કોળી (ઉમર ૪૦) ને ગામમાં જ રહેતા રાજાભાઈ રાયમલભાઈ કોળી સાથે સામુ જોવા બાબતે ઝગડો થયો હતો.જેથી મારના ડરથી ઘરે જઇને અગ્નિસ્નાન કરી લેનાર સંજયભાઇ કોળીને મોરબીથી રાજકોટ ખસેડાયા હતા જયાં ચાલુ સારવારે તેણે રાજાભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે તેની સાથે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને રાજાભાઈ કોળીએ ગાળો આપીને ઢીકાપાટુ અને પાઇપ વડે માર માર્યો હતો. તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી.જેથી ડરી ગયેલા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયાએ ડરના લીધે પોતાની જાતે શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીરપણે દાઝી ગયેલા સંજયભાઈને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા જયાં સારવાર દરમ્યાન સંજયભાઈ લાલજીભાઈ માનેવાડિયા જાતે કોળી (ઉમર ૪૦) નું મોત નિપજયુ હતુ.જેથી કરીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના સામાકાંઠે આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો રાજેશભાઇ છનાભાઇ વાદી નામનો ૨૬ વર્ષીય યુવાન વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત રાજેશભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના માળીયા મિંયાણા તાલુકાના નવા અંજીયાસર ગામના રહેવાસી ઇમરાન જુમાભાઈ માણેક નામના ૨૦ વર્ષીય યુવાનને માળીયા હાઈવે ઉપરથી પોતાના ગામ તરફ જતા રસ્તે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.