માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત


SHARE

















મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા  ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ કે જે ભારતનો સૌથી મોટો સીરામિક ઉદ્યોગ છે અને સરકારને ટેક્ષના રૂપમાં ખુબજ મોટી રકમની આવક આ ઉદ્યોગ દ્વારા થાય છે. અને એક્ષ્પોર્ટ દ્વારા ખુબજ મોટી રકમનું વિદેશી હુંડીયામણ પણ લાવી આપે છે આટલું જ નહીં ત્રણ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડે છે. તો ઇન ડાયરેક્ટ દસ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડનાર આ જ ઉદ્યોગ છે. 

પરંતુ હાલમાં આ ઉદ્યોગ ખુબજ મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અને લગભગ ઓક્ષીજન ઉપર આવી ગયો છે અને લગભગ ૬૦ ટકા ફેકટરીઓ બંધ હાલતમાં છે ત્યારે ગેસના ભાવમાં વધારો, એક્ષ્પોર્ટ માટે કન્ટેઈનરના ભાડા, ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રકના ભાડામાં વધારો, કોલસાના  ભાવમાં વધારો, ઇલેક્ટ્રિક સપ્લાયમાં પણ કાપ, એક્ષ્પોર્ટમાં પ્રોત્સાહક લાભો મળતો હતો તેમાં ઘટાડો કરવામાં આવ્યો, ઇન્ફ્રાસ્ટકચર નથી, ટ્રાન્સપોર્ટ નગર નથી આવી અનેક સમસ્યા છે જેને ઉકેલવામાં આવતી નથી જેથી ઉદ્યોગકારો હેરાન છે જેથી કરીને ઉદ્યોગને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News