માળીયા (મી) પોલીસે જામીન ઉપરથી છૂટીને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કર્યો
મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
SHARE









મોરબી સીરામિક ઉદ્યોગને ટકાવી રાખવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીનો સીરામીક ઉદ્યોગ કે જે ભારતનો સૌથી મોટો સીરામિક ઉદ્યોગ છે અને સરકારને ટેક્ષના રૂપમાં ખુબજ મોટી રકમની આવક આ ઉદ્યોગ દ્વારા થાય છે. અને એક્ષ્પોર્ટ દ્વારા ખુબજ મોટી રકમનું વિદેશી હુંડીયામણ પણ લાવી આપે છે આટલું જ નહીં ત્રણ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડે છે. તો ઇન ડાયરેક્ટ દસ લાખ પરિવારોને રોજીરોટી પૂરી પાડનાર આ જ ઉદ્યોગ છે.
પરંતુ હાલમાં આ ઉદ્યોગ ખુબજ મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અને લગભગ ઓક્ષીજન ઉપર આવી ગયો છે અને લગભગ ૬૦ ટકા ફેકટરીઓ બંધ હાલતમાં છે ત્યારે ગેસના ભાવમાં વધારો, એક્ષ્પોર્ટ માટે કન્ટેઈનરના ભાડા, ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રકના ભાડામાં વધારો, કોલસાના ભાવમાં વધારો, ઇલેક્ટ્રિક સપ્લાયમાં પણ કાપ, એક્ષ્પોર્ટમાં પ્રોત્સાહક લાભો મળતો હતો તેમાં ઘટાડો કરવામાં આવ્યો, ઇન્ફ્રાસ્ટકચર નથી, ટ્રાન્સપોર્ટ નગર નથી આવી અનેક સમસ્યા છે જેને ઉકેલવામાં આવતી નથી જેથી ઉદ્યોગકારો હેરાન છે જેથી કરીને ઉદ્યોગને પડતી મુશ્કેલીઓને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે
