ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો

કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી તે ઉક્તિ ને ધ્યાન માં રાખી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના આંબેડકર ચોકમાં આવેલ કબીર આશ્રમમાં રામ ખીચડીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં  ૧૪૦ જેટલા બહેનો, ભાઈઓ અને બાળકોએ ભાગ લીધેલ હતો અને કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુએ આ પ્રસંગે  પ્રવચનમાં જણાવ્યું કે, ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? આ કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલએ જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ન બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું. આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્રની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ છે આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે. અને આ કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌ એ એક પંગતમાં લીધેલ હતો






Latest News