મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના આંબેડકર ચોકમાં કબીર આશ્રમ ખાતે આરએસએસ દ્વારા રામ ખીચડીનો કાર્યક્રમ યોજાયો

કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી તે ઉક્તિ ને ધ્યાન માં રાખી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા સામાજિક સમરસતાનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો અને મોરબીના આંબેડકર ચોકમાં આવેલ કબીર આશ્રમમાં રામ ખીચડીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં  ૧૪૦ જેટલા બહેનો, ભાઈઓ અને બાળકોએ ભાગ લીધેલ હતો અને કબીર આશ્રમના મહંત કરસનદાસ બાપુએ આ પ્રસંગે  પ્રવચનમાં જણાવ્યું કે, ઈશ્વર કે પ્રકૃતિ આપણી સાથે ભેદભાવ ક્યારેય રાખતી નથી આપણે મનુષ્ય તરીકે કેમ જાતિગત, ઉચ્ચ નીચના ભેદભાવ રાખીએ છીએ? આ કાર્યક્રમના મુખ્ય વકતા વિજયભાઈ રાવલએ જણાવ્યું હતું કે સંતોને પ્રશ્ન પૂછવામાં આવે છે કે સમાજમાં સમરસતાનું કાર્ય ક્યાં સુધી કરશો? સંતોનો જવાબ છે કે માનવરૂપી ખારો દરિયો જ્યાં સુધી સમરસતાનો મીઠો દરિયો ન બને ત્યાં સુધી આ કાર્ય અવિરત કરતા જ રહીશું. આ ઉપરાંત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત શિવણ કેન્દ્રની બીજી બેન્ચ પૂર્ણ થતાં બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ છે આ શિવણ કેન્દ્રમાં આરતીબેન શુક્લા સેવા આપે છે. અને આ કાર્યક્રમના અંતે રામ ખીચડીનો મહાપ્રસાદ સૌ એ એક પંગતમાં લીધેલ હતો






Latest News