માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે


SHARE

















મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુશ્રી રામની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪ ને રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ આયોજન મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામા આવ્યુ છે.

જે અંતર્ગત સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સર્વે રામભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે કરવામા આવ્યુ છે.વેશભુષા સ્પર્ધા વિનામુલ્યે તેમજ સર્વજ્ઞાતિય રહેશે.જેમા બાળકોએ પ્રભુ શ્રીરામનો વેશ ધારણ કરવાનો રહેશે તેમજ બે મીનીટમા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે.સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઈનામો આપવામા આવશે તેમજ વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો આપવામા આવશે.સ્પર્ધામા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આવશ્યક હોય, રજીસ્ટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની (મો.૭૦૬૯૬ ૭૫૨૧૯) અથવા હરીશભાઈ રાજા (મો.૯૮૭૯ ૨૧૮૪૧૫) નો સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તા.૮-૪ ને શુક્રવાર સુધીમા કરાવવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News