મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે


SHARE











મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમ યોજાશે કાર્યક્રમો યોજાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુશ્રી રામની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪ ને રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ આયોજન મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરવામા આવ્યુ છે.

જે અંતર્ગત સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ સર્વે રામભક્તો માટે મહાપ્રસાદનુ આયોજન શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે કરવામા આવ્યુ છે.વેશભુષા સ્પર્ધા વિનામુલ્યે તેમજ સર્વજ્ઞાતિય રહેશે.જેમા બાળકોએ પ્રભુ શ્રીરામનો વેશ ધારણ કરવાનો રહેશે તેમજ બે મીનીટમા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે.સ્પર્ધામા ભાગ લેનાર દરેક સ્પર્ધકોને ઈનામો આપવામા આવશે તેમજ વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો આપવામા આવશે.સ્પર્ધામા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આવશ્યક હોય, રજીસ્ટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની (મો.૭૦૬૯૬ ૭૫૨૧૯) અથવા હરીશભાઈ રાજા (મો.૯૮૭૯ ૨૧૮૪૧૫) નો સંપર્ક કરવાનો રહેશે.રજીસ્ટ્રેશન તા.૮-૪ ને શુક્રવાર સુધીમા કરાવવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News