મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE











માળીયા(મિં.) ના જુના ઘાટીલા ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ છોટાઉદેપુર પંથકના મજુર પરિવારની મહિલા વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી અને ત્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવતા જુના ઘાંટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેતી મજુરીનું કામ કરતા અને મૂળ છોટાઉદેપુરના ટીંબી ગામના વતની સવિતાબેન પ્રવીણભાઈ નાયકા નામની ૩૦ વર્ષીય આદિવાસી મહિલા ગત તા.૧૭-૩ ના સવારે વાડીએ ચા બનાવતી હતી તે દરમિયાન દાઝી ગઈ હતી જેથી તેને સારવાર માટે જેતપર પીએચસી ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં પણ જીલ્લા કક્ષાની સિવિલમાં બર્ન્સ વિભાગ ન હોય પ્રાથમિક સારવાર આપીને સવિતાબેન નાયકાને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં વીસેક દિવસ સારવારમાં રહ્યા બાદ આજે તેઓનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે નોંધ કરીને માળીયા પોલીસે બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના નવાગઢ વિસ્તારમાં સરદારપુર ગેટ નજીક રહેતો દિગ્વિજય ભરતભાઈ કુબાવત નામનો ૨૭ વર્ષીય યુવાન જેતપુર બાજુથી જુનાગઢ જતો હતો ત્યારે ઝાંઝરડા ચોકડી પાસે તેના બાઈક આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઇજાઓ થતાં દિગ્વિજય કુબાવતને સારવાર માટે અહીં મોરબી ખસેડાયો હતો.જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના લુણસર ગામનો વતની મહેશ જગદીશભાઈ કુણપરા નામનો ૩૦ વર્ષીય યુવાન હળવદના માથક ગામ પાસેથી બાઇક લઇને જતો હતો દરમિયાન ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત મહેશભાઇને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર સરદારનગર પાસેની ઉમા સોસાયટીમાં રહેતા યોગેન્દ્રસિંહ રાણાની છ વર્ષીય દીકરી હેતાંશીબા ભક્તિનગર સર્કલ પાસે નવા ઓવરબ્રીજ નજીકથી બાઇકમાં જતી હતી ત્યારે તે બાઇકમાંથી પડી જતા થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં હેતાંશીબા રાણા નામની છ વર્ષીય બાળાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.






Latest News