મોરબીના લીલાપર ગામે રમતા રમતા પાણીના ટાંકામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત ડાકોરમાંથી અપહરણ કરાયેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં માતા-પિતાની હાજરીમાં રમતા રમતા મશીનના બેલ્ટમાં આવી જવાથી 2 વર્ષના બાળકનું મોત ટંકારાના લજાઈ નજીક પત્ની સાથેના કલેશથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી લઈને મેયરની પસંદગી સુધીમાં ભાજપ કરતાં સંઘનું પ્રભુત્વ વધ્યું  મોરબીમાં માનસીક અસ્થિર વૃદ્ધા ગુમ, શોધખોળ ચાલુ માળીયા (મી)ના હરીપર પાસે ઇકો ગાડી ટ્રક સાથે અથડાતા 4 વ્યક્તિના મોત થવાના બનાવમાં હવે ગુનો નોંધાયો મોરબીમાં જુદીજુદી જગ્યાએ જુગારની 4 રેડમાં 10 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ગુના પકડાયેલા આરોપીના જમીન મંજૂર કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ


SHARE











મોરબીમાં ચોરીના ગુના પકડાયેલા આરોપીના જમીન મંજૂર કરતી ડીસ્ટ્રીકટ કોર્ટ

મોરબીના ચીફ જયુડી.મેજી. કોર્ટમાં વર્ષ ૨૦૧૯ માં ફોજદારી કેશ દાખલ કરાયો હતો. અને કલમ ૩૭૯ અને ૧૧૪ (ચોરી અને મદદગારી) ના કામે આરોપી ધીરૂભાઇ ઉર્ફે મહાદેવભાઇ પરબતભાઇ પીપલોતર મુળ રહે. ભવનેશ્વર તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા હાલે રહે.વાવડી રોડ મોરબી વાળાને કેસની ટ્રાયલ ચાલતા દરમ્યાન આરોપી ધીરૂભાઇને નામદાર કોર્ટે તા.૧૭-૧-૨૨ ના રોજ કલમ ૩૭૯ ટ્રેકટર કમ ટ્રોલીની ચોરીના કામે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા.૫,૦૦૦ નો દંડ તથા જો દંડ ભરવામાં કસુર કર્યાથી ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે નામદાર નીચેની કોર્ટમાં આરોપીના વકીલ તરીકે એન.એન.ગોસ્વામી તથા સરકાર તરફે સરકારી વકીલ એપીપી નેહાબેન વાધજીયાણી રોકાયેલા હતા. આ કામે મોરબીના વકીલ પી.ડી.માનસેતા એપેલન્ટ આરોપીના વકીલ તરીકે રોકાતા તેઓને નીચેની કોર્ટે કરેલ સજા તથા દંડ અંગે ડીસ્ટ્રીકટ કોર્ટમાં ડીલે કોન્ડોન અરજી સાથે તા.૧૪-૩-૨૨ ના રોજ અપીલ દાખલ કરેલી હતી અને મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સી.જી.મહેતાની કોર્ટમાં હીયરીંગ થતા આ કામના એપેલન્ટ આરોપી તરફેના વકીલે ડીલે અરજી અંગે હાઇકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ રાખેલ હતા જે ૭૨ દિવસ ડીલે મંજુર કરવામાં આવેલ અને અપીલ રજીસ્ટરે લીધેલ છે જે ફોજદારી અપીલ નં.૧૭/૨૦૨૨ ના કામે અપીલ ચાલતા દરમ્યાનની અરજીના કામે હીયરીંગની દલીલ થતા ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ચિનમય જી.મહેતાએ આરોપીને ૧૫,૦૦૦ ના જામીન મંજુર કરતો હુકમ કર્યો છે તેવું ગુજરાત હાઇકોર્ટના વકીલ પી.ડી.માનસેતાએ જણાવ્યુ છે.






Latest News