મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા


SHARE













વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા મીટીંગ યોજાઈ હતી તેમાં સમગ્ર વાંકાનેર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાન અને યુવાનો જોડાયા હતા તેમજ રાજકોટ ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના, હળવદ ઠાકોર સેનાના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાંકાનેર તાલુકાના ૧૭ ગામના આગેવાન અને યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આવનારી તા. ૧૬/૪ ના રોજ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માટે ચર્ચા કરવામાં આવી હતી આશરે ૪૦ કી.મી. ની સોભાયાત્રા છે અને ૧૫ થી વઘારે ગામ દર્શનનો લાવો લેશે ત્યારે મચ્છુ ડેમ રોડ હોલમઢ ગામથી તા. ૧૬/૪ ના રોજ સવારે ૮ વાગ્યે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને મહીકા, કોઠી, જોધપર, લીબાળા, કેરાળા, ઘમલપર ચોકડી પાસે વેલનાથ બાપુનો મહા પ્રસાદ રાખેલ છે અને બાદમાં ઘમલપર-૨, હસનપર, શક્તિપરા, વીછીપરા, મિલ પ્લોટ, નવાપરા હાઈવે, જીનપરા મેઇન બજાર, માર્કેટ ચોક, દિવાનપરા, વેલનાથપરા, આરોગ્ય નગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News