માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં વાંકાનેરના યુવાનનું મોત


SHARE

















મોરબીના રફાળેશ્વર નજીક કારખાનામાં પતરા ઉપરથી નીચે પટકાતાં વાંકાનેરના યુવાનનું મોત

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ પર આવેલ કારખાનામાં પતરા ઉપરથી યુવાન નીચે પટકાયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં રહેતા અજયભાઈ હસમુખભાઈ લકુમા (ઉંમર ૩૦) મોરબીના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ પર આવેલ કેડા સિરામિકમાં કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન પતરાં ઉપરથી તેને નીચે પડ્યા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ અજયભાઈના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News