મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતના પગલે ટ્રાફિક જામ


SHARE















મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતના પગલે ટ્રાફિક જામ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના નાકા સામે હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રેલર આગળ જતાં વાહનની પાછળ ઘૂસી જતાં પાછળના ટ્રેલરની કેબીનનો કડુસલો બોલી ગયો હતો અને વાહન અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનને હટાવવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી.જેને પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તે રીતે જ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક ટ્રક બંધ પડી જવાના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો અને તેના લીધે લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અત્રે નોંધનીય છે કે છાશવારે મોરબી હાઇવે ઉપર ટ્રાફિક જામ થાય છે અને આજે સવારે પણ મોરબીના શનાળા રોડ ઉપર આવેલી ઉમિયા સર્કલ નજીક વાહનનો ટ્રાફિક જામ સર્જાયો હતો.તે રીતે જ મોરબીની રવાપર ચોકડી પાસે તેમજ મોરબીના નવલખી ફાટકે નવા બનતા ઓવરબ્રિજ પાસે અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે જેના લીધે લોકોના અમુલ્ય માનવ કલાકો બગડે છે અને ટ્રાફીકજામના પગલે ખૂબ જ કિંમતી પેટ્રોલ-ડીઝલનો લોકોએ ધુમાડો કરવો પડે છે.






Latest News