મોરબીમાં માતા-પિતાથી વિખૂટી પડેલી ૩ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલન મોરબી: પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-૨૦૨૬ માટે ઓનલાઇન નોમિનેશન કરાવવું મોરબીના નારણકા ગામના ખેડૂત ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ થકી બન્યા પ્રગતિશીલ ખેડૂત મોરબીમાં લગ્નપ્રસંગે મુખ્યમંત્રી બાળસેવા યોજના થકી સરકારે કર્યું દીકરીનું કન્યાદાન મોરબીમાં રસ્તો ભુલી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના સાવડી ગામે લૂંટના ઇરાદે મંદિરના મહંત ઉપર પાંચ શખ્સનો હુમલો: લુંટારૂઓ પોલીસ પકડથી દુર


SHARE









ટંકારા તાલુકાના સાવડી ગામે લૂંટના ઇરાદે મંદિરના મહંત ઉપર પાંચ શખ્સનો હુમલો: લુંટારૂઓ પોલીસ પકડથી દુર

ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરની અંદર રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા પાંચ શખ્સો લાકડી અને કોસ જેવા હથિયાર લઇને આવ્યા હતા અને ત્યારબાદ ઓરડીના દરવાજામાં લાકડી અને કોસ મારીને દરવાજામાં નુકસાન કર્યું હતું તેમજ દરવાજાની પાછળ રહેલા મંદિરના મહંતને પણ કોસનો નેણ ઉપર ઘા વાગ્યો હતો જેથી કરીને તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેમણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર અજાણ્યા લુંટારૂ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં આવેલ અરણેશ્વર મહાદેવ મંદિરમાં રહેતા અને ત્યાં સેવા પૂજા કરતા મંદિરના પૂજારી કિશોરભાઈ પરશુરામભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (ઉંમર વર્ષ ૮૪) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા પાંચ શખ્સોની સામે લુંટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છેકે તા.૮-૪ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં ચારેક અજાણ્યા શખ્સો હાથમાં લાકડી અને કોસ જેવા હથિયાર લઈને મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરમાં કિશોરભાઈ ત્રિવેદી રહેતા હતા તે ઓરડીના દરવાજે કોસ અને લાકડીના ઘા મારીને નુકસાન કર્યુ હતું અને ત્યારે દરવાજાની પાછળના ભાગમાં કિશોરભાઈ ત્રિવેદી હોય તેમને કોષનો ઘા ડાબી આંખના નેણના ઉપરના ભાગમાં વાગ્યો હોવાથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં કિશોરભાઈ ત્રિવેદીએ નોંધાવેલી ફરિયાદના આધારે ટંકારા પોલીસે આઈપીસી કલમ ૪૫૭, ૪૨૭, ૩૨૪,૧૧૪ અને જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.વધુમાં ગઈકાલે ઉપરોક્ત બનાવની વધુ તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.તેમજ આ બનાવ સંદર્ભે પત્રકારોને જાણ કરવા બદલ મંદિરના સેવકોને પણ પોલીસ દ્રારા ધમકાવવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે..!

એસીડ પી લેતા યુવાન સારવારમાં

મોરબીના નવલખી ફાટક પાસે આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે રહેતો અવિનાશ રમેશભાઈ વાણંદીયા નામનો ૨૩ વર્ષીય યુવાન એસીડ પી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે વધુમાં પોલીસે તપાસ કરતા ખૂલ્યું હતું કે અવિનાશે કડીયાકામ રાખેલ હોય અને તે તેના સાસરે કોઈ પ્રસંગમાં જઇ શકયો ન હતો તે વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને તે બાબતનું મનમાં લાગી આવતા અવિનાશ રમેશભાઈ નામના યુવાને એસિડ પી લેતાં તેને હાલ સારવારમાં ખસેડાયો છે.બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ ઉપર પરશુરામ પોટરી નજીક બાઇક સ્લીપ થઇ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમા મોરબીના સુભાષનગર વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ જેઠાભાઈ જાદવ નામના ૩૧ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો.






Latest News