ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650777962.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો
ટંકારામાં વ્યાજખોરોના પાપે થોડા સમય પહેલા વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેની સાહી હજુ તો સુકાઈ નથી ત્યાં સિરામીક ટાઇલ્સના વેપાર સાથે જોડાયેલા યુવાને ૧૦ ટકાના વ્યાજે બે શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા તેની સામે તોતિંગ વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે
ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રાએ ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા જાતે બોરિચા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)