માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો


SHARE

















ટંકારામાં યુવાને વ્યાજે લીધેલ રૂપિયાનું તોતિંગ વ્યાજ આપવા છતાં પઠાણી ઉઘરાણી કરનારા બે સામે ગુનો નોંધાયો

ટંકારામાં વ્યાજખોરોના પાપે થોડા સમય પહેલા વેપારીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો તેની સાહી હજુ તો સુકાઈ નથી ત્યાં સિરામીક ટાઇલ્સના વેપાર સાથે જોડાયેલા યુવાને ૧૦ ટકાના વ્યાજે બે શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા તેની સામે તોતિંગ વ્યાજ આપી દીધું હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોરોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે

ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે રહેતા અને ખેતી કરવાની સાથે સિરામીક ટાઇલ્સનો વેપાર કરતા બીપીનભાઈ વશરામભાઈ કાસુન્દ્રાએ ગજડી ગામના અમિતભાઇ મોહનભાઇ રૂંજા જાતે બોરિચા પાસેથી દસ માસ પૂર્વે ૧૦ ટકા લેખે રૂપિયા ૧,૫૦,૦૦૦ અને રાજુભાઇ મોમૈયાભાઈ સવસેતા પાસેથી નવ મહિના પૂર્વે ૧૦ ટકા વ્યાજે ૩,૫૦,૦૦૦ લીધા બાદ બન્નેને અનુક્રમે ૪,૫૦,૦૦૦ અને ૯,૦૦,૦૦૦ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો દ્વારા ઘરે રૂબરૂ આવીને તેમજ ફોનમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા ધમકી આપી જાનથી મારી નાંખવા ધમકી આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




Latest News