માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઇટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત


SHARE

















મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજોના ટોકનનું વેઇટિંગ ઘટાડવા રેવન્યુ વકીલ મંડળની રજૂઆત

મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ત્યારે દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે.અને  મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે. તેટલા દસ્તાવેજોના ઓનલાઈન ટોકન મળી શકતા ન હોય મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલમાં આશરે ૧૨ દિવસ જેટલું વેઇટિંગ થઈ ગયેલ છે. જેથી વકીલોને તથા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કારણકે બેંક તરફથી લોનનો ચેક ઇસ્યુ થાય ત્યાંથી વ્યાજની ગણતરી શરૂ થઇ જતી હોય છે. જ્યારે સરકારમાં નોંધણી ફીની ઓનલાઇન રકમ ભર્યા બાદ દસ્તાવેજ કે મોર્ગેજ કરવામાં ૧૨ થી ૧૫ દિવસ રાહ જોવી પડે છે.

જેથી દસ્તાવેજોની સમયસર નોંધણી થઈ શકતી ન હોય લોકોના આર્થિક શેડ્યુલ ખોરવાઈ જાય છે. માટે દસ્તાવેજની નોંધણી સત્વરે થાય તે માટે બે દસ્તાવેજ વચ્ચેનો સમય ૧૦ મિનિટમાંથી ઘટાડી ૫ મિનિટ કરવા અથવા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય સાંજે ૫-૦૦ ને બદલે ૬-૦૦ નો કરવા માંગ કરી છે. અને આ બાબતે રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાના કહેવા મુજબ જો આ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસ્તાવેજના ટોકન મેળવવામાં ૧૫ થી ૨૦ દિવસનું વેઇટિંગ થતાં વાર નહીં લાગે અને આ સમસ્યાને નિવારવા માટે નોંધણી નિરીક્ષક ગાંધીનગરની કચેરીને હાલમાં રજુઆત કરવામાં આવેલ છે.




Latest News